Sunday, July 11, 2010

જિન્દગી ની સચ્ચાઈ ...


સગાં સગાં સૌ શું કરો છો  ?  
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે , સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.

છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે , દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.


ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો , બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.


મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી , કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.


જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી , અરે , આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
 

પંખી સમજે છે કે ચમન બદલાયું છે , સિતારા સમજે છે કે ગગન બદલાયું છે , પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે 
છે લાશ એની એ જ , ફકત કફન બદલાયું છે.
 

-અજ્ઞાત

No comments: