Saturday, May 14, 2011

નોંધ કોઈએ લીધી કે નહિં?

સુરજ સંભારતો નથી કે, (મારા) પ્રકાશનું શું કર્યું ?
ચંદ્ર ચકાસતો નથી કે, (મારી) ચાંદનીનું શું કર્યું ?
મેઘ માપતો નથી કે, (મારું) પાણી ક્યાં વપરાયું ?
પવન પારખતો નથી કે, હવામાં શું ભળ્યું ?
નદી નીરખતી નથી કે, કોણે ક્યાં ઉપયોગ કર્યો?
વનસ્પતિ વિચારતી નથી કે, મારા માંથી કેટલું ને શું લીધું?
તેથી હે માનવ, તું નિરંતર કર્યરત રહે,
પરવા ના કર, તારી નોંધ કોઈએ લીધી કે નહિં?


-- નિર્મળાબેન ચાંપાનેરીઆ





1 comment:

Anonymous said...

બહુ સુંદર!